પુરના પાણીમા સિસોદ્રા ગામના 15 પરિવારોએ તંત્ર પાસે મદદ માંગી છતાં ના મળી

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

નર્મદા જિલ્લા કલેકટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પરિસ્થિતિ ને કાબુ કરવામાં નિષ્ફળ ગયા

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને રેસ્ક્યુ માટે કોલ કર્યો કે ત્રણ જણા પુર ના પાણી મા ફસાયા છે, છતાં મદદ માટે કોઈ ના આવતા સ્થાનિક યુવાનો એ ધસમસતા પાણી વચ્ચે જીવ ના જોખમે ત્રણ ને બચાવ્યા

(સાજીદ સૈયદ, નર્મદા)

16 સપ્ટેમ્બર ની સાંજથી નર્મદા ડેમમાંથી 18 લાખ પાણી છોડવામાં આવતા નર્મદા કાંઠે વસેલા ગામોની માટી દશા ની શરૂઆત થઈ હતી ચારે બાજુ પૂર્ણ પાણી પરિવર્તન ખેતરો અને મકાનો માપ 15 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા એક તરફ વરસાદ વરસી રહ્યો હતો અને બીજી તરફ ફુલના પાણી માનવ વસાહતો માં ઘૂસી ગયા હતા.

ક્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામે કસબાવાળ અને પંચાયત ફળિયામાં થઈને કુલ 65 નાના મોટા મકાનોમાં પાણી ફરી વળતા લોકોએ જાતે જ પલાયન શરૂ કરવા માંડ્યું હતું, ત્યારે કસ્બાવાડ ના 15 જેટલા મકાનો મા વસવાટ કરતા લોકો એ પોતાના હાથ મા જે આવ્યું એ લઈ ને ઘર માંથી નીકળી ગયા હતા અને આસપાસના લોકો ના ઘરો મા આશરો લીધો હતો.

ત્યારે નર્મદા જિલ્લા ના વહીવટી તંત્ર એ જાહેરાત કરી પુર પીડિતો ને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી હતી, અને જરૂરી સહાય કામગીરી માટે તંત્ર ખડે પગે રહેશે એવા દાવા કરાયા હતા, પણ નાંદોદ ના સિસોદ્રા ગામે કસ્બાવાડ વિસ્તાર ના 15 લઘુમતી પરિવારો ને સ્થાનિક તંત્ર તરફ થી ભોજન કે રહેઠાણ માટેની કોઈ મદદ મળી નોહતી, ઉપરાંત જ્યારે પુર ના પાણી મા ફસાયેલા 3 જણા ને રેસ્ક્યુ કરવા માટે કોલ કરવા છતાં કોઈ આવ્યું નોહતું, ત્યારે ના છૂટકે સ્થાનિક યુવાનો એ જીવ ના જોખમે પુર ના ધસમસતા પાણી મા યુવાનો ને ઉગારી લાવ્યા હતા.

ત્યારે સ્થાનિક પુર પીડિતો એ તંત્ર એ તેમની સાથે ભેદભાવ ભર્યું વલણ અપનાવી પુર મા ફસાયેલા 15 પરિવારો ને નોંધારા મૂકી દેવાનો આક્ષેપ કરતા તંત્ર તરફ થી કોઈ પણ જાત ની મદદ મળી હોવાનું ઇન્કાર કર્યો હતો.

Share this Article
Leave a comment