ડાંગ જિલ્લામા તા.24 ઓગસ્ટના રોજ યોજાશે “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” પ્રજાજનો તા.20મી ઓગસ્ટ સુધી પ્રશ્નો મોકલી શકશે

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

આહવા: તા: 17: મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને તાલુકાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.24/08/2022 ના રોજ સવારે 11:00 વાગ્યા થી શરૂ કરીને લોકો તરફથી મળેલ ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ અંગે “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમા યોજવામા આવનાર છે.
નિયત કાર્યક્રમ મુજબ આહવા તાલુકાનો કાર્યક્રમ કલેક્ટર કચેરી, આહવાના સભાખંડમા પ્રાયોજના વહિવટદારશ્રી, ટ્રાયબલ એરિયા સબ પ્લાન કચેરી-આહવાના અધ્યક્ષ સ્થાને, વઘઇ તાલુકાનો કાર્યક્રમ તાલુકા સેવા સદન-વઘઇ ખાતે પ્રાંત અધિકારીશ્રી, આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને, અને સુબીર તાલુકાનો કાર્યક્રમ તાલુકા સેવા સદન-સુબીર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને યોજાશે.
જેથી તાલુકાની જનતાને પોતાની ફરિયાદ કે પ્રશ્નો તા.20/08/2022 સુધીમા સંબંધિત કચેરીઓને બારોબાર મોકલી, તેની એક નકલ સંબંધિત મામલતદારશ્રી, આહવા/વઘઇ/સુબીર ને મોકલી આપવા જણાવાયુ છે. ન્યાયની કોર્ટમા ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતા પ્રશ્નો, સબ જ્યુડીશીયલ પ્રશ્નો, તથા નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમા લક્ષમા લેવામા આવશે નહી. જેની પણ અરજદારોને નોંધ લેવા અનુરોધ કરાયો છે. અરજદારોએ એક જ પ્રશ્ન, સંપૂર્ણ વિગતો સાથે સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરોમા રજૂ કરવાના રહેશે. રજૂ કરવામા આવનાર પ્રશ્નોના કવર ઉપર “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.24/08/2022” એમ અચૂક લખવા પણ જણાવાયુ છે. ઉપરાંત ફરિયાદ નિવારણ કાર્યક્રમના દિવસે અરજદારને ઉક્ત જણાવેલ સ્થળે સમયસર અચૂક હાજર રહેવા પણ એક અખબારી યાદી દ્વારા જણાવાયુ છે.

Share this Article
Leave a comment