કોરોના દર્દીઓની સેવા કરતા મૃત્યૃ પામેલાં હેડ નર્સ સ્વ.રશ્મિતાબેન પટેલના પરિજનોને સરકાર દ્વારા રૂા.૫૦ લાખની સહાય

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

સાંસદ સી.આર.પાટીલના હસ્તે ચેક અર્પણ કરાયો

સુરત, રાજયભરમાં કોરોના મહામારી સામે ડોકટરો, નર્સીગ સ્ટાફ સહિતના આરોગ્ય કર્મીઓ ખડેપગે કોરોના દર્દીઓની સેવા કરી રહયા છે. સેવા કરતાં કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામેલા કોરોના વોરિયરના પરિજનોને સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હેડ નર્સ સ્વ.રશ્મિતાબેન પટેલ કોરોના દર્દીઓની સેવા દરમિયાન સંક્રમિત થતાં અવસાન પામ્યા હતા. સ્વ.ના પરિવારજનોને કેન્દ્ર સરકાર દ્વારા રૂા.૫૦ લાખ સહાય મંજુર કરવામાં આવી હતી. આ સહાયનો ચેક નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલના હસ્તે તેમના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો હતો.
સ્વ.ના પરિજનોને સધિયારો આપતાં સાંસદશ્રીએ કહ્યું કે, કોરોના સમયે ડોકટર, નર્સ તથા અન્ય સ્ટાફગણ દિવસ-રાત ખડેપગે રહી ફરજ બજાવી રહ્યા છે તેમની સેવાની બિરદાવીને કેન્દ્ર-રાજય સરકાર દ્વારા સહાય સત્વરે મંજુર કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
મૂળ નવસારીના અમલસાડના વતની અને સુરતની નવી સિવિલ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં ફરજ બજાવતા હેડ નર્સ સ્વ.રશ્મિતાબેન પટેલનું તા.૨૦ જુલાઇના રોજ કોરોના સંક્રમણના કારણે નિધન થયું હતું. રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તત્કાલ દરખાસ્ત મોકલ્યા બાદ માત્ર ૧૦ દિવસના ટુંકાગાળામાં સહાય મંજુર કરવામાં આવી હતી. નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલના હસ્તે દીન બંધુ સોસાયટી, ભટાર રોડ ખાતે તેમના પરિવારજનોને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં ૯૦ જેટલા નર્સીગ સ્ટાફ કોરોના સંક્રમિત થયો હતો. જેમાં સ્વ.રશ્મિતાબેન પટેલ અને સ્વ.સુનિલ નિમાવતનું નિધન થયું હતું. સ્વ.સુનિલ નિમાવતની સહાય આપવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. રાજયમાં કોરોના કારણે મૃત્યૃ થયેલા બે નર્સીગ સ્ટાફના પરિવારજનોને અત્યાર સુધીમાં સહાય અપાઇ છે.
આ અવસરે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા, નર્સિંગ એસોસિયશેનના સેક્રેટરીશ્રી કિરણ દોમડીયા, દક્ષિણ ગુજરાતના રી-પ્રેન્ટેટીવશ્રી દિનેશ અગ્રવાલ, ચેમ્બર્સના માજી પ્રમુખશ્રી પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Share this Article
Leave a comment