પંચાળા પરિવાર તરફથી પક્ષીના પાણી માટે ૫૦૧ કૂંડા નું વિતરણ કરાયું

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

(અશોક મુંજાણી : સુરત)
ઉનાળાની શરૂઆત થતાં આપણને કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે. આ ઉપરાંત પાણીની અછત પણ સર્જાતી હોય છે. જરૂરિયાત મુજબ પાણી મેળવવા માટે ફાંફાં મારવા પડતા હોય છે. તો આ કાળઝાળ ગરમીમાં પશુ-પક્ષીઓ માટે પણ આપણે થોડીક મદદ કરીએ તો તેમને રાહત મળતી હોય છે એવી જ રીતે મદદરૂપ થયા છે,

પંચાળા પરિવાર શહેરમાં આવેલ પંચમુખી હનુમાનજીના મંદિરે આરતી અને દર્શન કરવા આવતાં હરિભક્તોને પક્ષી માટે પાણીના ૫૦૧ કુંડા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા છે,પક્ષીઓ માટે પંચાળા પરિવારે સહરાનીય કામગીરી કરેલ છે,

Share this Article
Leave a comment