ડાંગ જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ૧૬૦ ખેડૂતો પાસે કરાવાઈ હળદરની ખેતી

adminpoladgujarat
adminpoladgujarat
2 Min Read

અહેવાલ  : મનોજ ખેંગાર

આહવા : તા : ૧૯  પરંપરાગત ખેતી પદ્ધતિથી હટકે, નવતર અને આધુનિક ખેત ઉત્પાદન  તરફ વળી રહેલા ડાંગના ખેડૂતોને તેમની સીમિત જગ્યામા વધુ વળતર મળી રહે, તે દિશામા વાળવાનો સ્તુત્ય પ્રયાસ  ડાંગ જિલ્લાના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા હાથ ધરવામા આવી રહ્યો છે. ખાસ કરીને નાગલી, વરઇ, અડદ, અને ડાંગરનુ જ  મહતમ વાવેતર કરતા, ડાંગ જિલ્લાના ખેડૂતોને  મૂલ્યવર્ધિત ખેત ઉત્પાદન તરફ પ્રોત્સાહિત કરીને તેમની આવક વધારવાના પ્રયાસના ભાગરૂપે, ડાંગ જિલ્લાની પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દ્વારા, જિલ્લાના ત્રણેય તાલુકાઓના ૧૬૦ લાભાર્થી ખેડૂતોને પ્રાયોગિક ધોરણે હળદરની ખેતી કરાવવામા આવી છે.

આહવા તાલુકાનાં ૬૦, અને વઘઇ તથા સુબીર તાલુકાના પસંદગીના ૫૦/૫૦ ખેડૂતોને પ્રાયોજના કચેરીની ગ્રાન્ટમાથી હળદરનુ વાવેતર કરાવવામા આવ્યુ છે. તેમ જણાવતા પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જે.ભગોરાએ, ઔષધિય પાક ઉત્પાદનના આ નવતર પ્રયોગથી અહીના ખેડૂતો પોતાની સીમિત જગ્યામા, અન્ય પાક ઉત્પાદનની  સરખામણિયાએ વધુ ઉત્પાદન મેળવી શકે છે, તેમ ઉમેર્યું હતુ.
ઔષધિય પાક ઉત્પાદનના આ લાભાર્થી ખેડૂતોને  પ્રાયોજના કચેરી ધ્વારા જરૂરી તાલીમ/માર્ગદર્શન સહિત ગુણવતાયુક્ત  બિયારણ, ઉપરાંત ખેત ઉત્પાદનની  બજાર વ્યવસ્થા સુધીની ચિંતા કરવામા આવી છે, તેમ શ્રી ભગોરાએ વધુમા જણાવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાની પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દ્વારા વિવિધ ખેતલક્ષી  યોજનાઓ, જેવી કે બાગાયતી પાકો, શાકભાજી પાકો, બિયારણ, કીટસ, ખેત ઓજારો, જૈવિક ખાતરનો ઉપયોગ, તથા એ અંગેની પ્રોત્સાહક શિબિરો વિગેરે માટે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ રૂ ૪૨૬.૯૬ લાખનો ખર્ચ  કરવામા આવ્યો છે. જેનો લાભ અહીના ૨૭૨૩૨ ખેડૂત લાભર્થીઓ લઇ ચૂક્યા છે. આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષોમા શાકભાજીના બિયારણ, અને ખાતર માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત, જિલ્લાના ૧૧૮૭૦ ખેડૂતોને લાભ પહોચાડવામા આવ્યો છે. તેમ પણ પ્રયોજના વહીવટદાર શ્રી કે.જે.ભગોરાએ  એક મુલાકાતમા જણાવ્યુ હતુ.

Share this Article
Leave a comment