મહિલાએ સોમવતી અમાવસ પર ભગવાન શિવની પૂજા કરવા માટે રુદ્રાક્ષની શિવલિંગ ખરીદી

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

 

(અશોક મુંજાણી : પોલાદ ગુજરાત) તા.૩ સપ્ટેમ્બર, સુરત : હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું ખૂબ મહત્વ છે. તેમાં પણ જો આ તિથિ સોમવારે આવે છે તો તેનું મહત્વ વધુ વધી જાય છે. જ્યારે કોઈપણ મહિનાની અમાસ સોમવારે આવે છે ત્યારે તેને સોમવતી અમાસ કહેવામાં આવે છે.

આ વખતે ભાદ્રપદ મહિનાની અમાસ સોમવતી અમાસ જ્યોતિષમાં આ દિવસને લઈને ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની અને ઉપવાસ કરવાની પરંપરા છે. આ દિવસે પરિણીત મહિલાઓ વ્રત રાખે છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. તે સિવાય પૌરાણિક માન્યતાઓ અનુસાર પૂર્વજોને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અમાસની તિથિએ સ્નાન કરી દાન કરવામાં આવે છે,

સોમવતી અમાસ નિમિત્તે સુરતમાં એક મહિલાએ પૂજા અર્ચના કરવા માટે એક દુકાન માંથી રુદ્રાક્ષની શિવલિંગ ખરીદી હતી આ દિવસે કરેલ પૂજા અર્ચનાથી વિવાહિત જીવન સુખી રહે છે, આ રુદ્રાક્ષના શિવલિંગ મુખ્ય આકર્ષણ કેન્દ્ર બન્યું હતું.

Share this Article
Leave a comment